ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી આફ્રિકા ઍરપૉર્ટના exit ગેટ પરથી પધાર્યા; ત્યાં હરિભક્તો નીતરતાં નયણે ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીને વીંટળાઈ ગયા.

બીજી તરફ ઍરપૉર્ટના ઑફિસરો પણ ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીની કૃપાશિષથી ભીંજાવા માટે દર્શન શ્રેણીમાં ઊભા રહ્યા હતા.

આ બધાને જોઈ પ્રસન્ન મુખમુદ્રાએ ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી બોલ્યા : “આ બધા બીજું કાંઈ નથી સમજતા પણ આપણે આવ્યા એટલે તેઓ રાજી થાય છે અને દર્શન કરે છે માટે એ બધાયનું મહારાજ કારણ સત્સંગમાં લાવીને પૂરું કરશે... કરશે જ...”

આમ, ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીએ આફ્રિકન ઑફિસરો પર કરુણાની હેલી વરસાવી દીધી.