આંગળી માત્ર એક તરફ જ..
ગુરુદેવ પ.પૂ. બાપજીના જીવનની કોઈ એક ક્ષણ, વાત, પ્રસંગ કે ઉપદેશ એવાં નહિ હોય જેમાં તેઓએ મહારાજને કદી ગૌણ કર્યા હોય.
તેઓના હસ્ત નિરંતર એક જ નિશાન દર્શાવતા હોય - ભગવાન સ્વામિનારાયણ.
હરિભક્તોને સમજણ પાકી કરાવવા તેઓ સામેથી પૂછે, “અત્યારે સ્વામિનારાયણ ભગવાન મનુષ્ય રૂપે પ્રગટ હશે ?”
અને જ્યાં કોઈ બોલે કે, “હા, મોટાપુરુષ રૂપે...”
ત્યાં જ એમની કથા ચાલુ થાય, “અને વળી જે ભગવાન છે તે જેવા તો એ એક જ છે. સંવત ૧૮૮૬ પછી શ્રીજીમહારાજનું પ્રગટપણું યાવદ્ચંદ્રદિવાકરૌ - મૂર્તિ રૂપે જ સમજવું. મનુષ્ય રૂપે - સત્પુરુષ રૂપે નહીં.”
આમ, આવી દૃઢ સમજણ ગુરુદેવ પ.પૂ. બાપજીએ SMVSના સમાજને રગેરગમાં દૃઢ કરાવી છે. સમગ્ર સમાજ સત્પુરુષનો મહિમા તો જરૂર સમજે છે, પણ ભગવાન તરીકેનો તો નહિ જ.