શ્રીજીમહારાજ જેતલપુરમાં ગંગામાના ઘેર રસોઈ પ્રસંગે પધાર્યા, પરંતુ ઘર સાંકડું હતું. બધા મૂંઝાયા. મહારાજે સૌને કહ્યું, “સમય જોઈ રસ્તો કાઢી લેવો જોઈએ. કોઈ મૂંઝાશો નહીં. આપણે તો જમવાનું જ કામ છે ને !”

સમયસૂચકતા વાપરી શ્રીહરિએ સંતોને ચોકમાં ઊભા રાખી એકની પાછળ બીજી પંક્તિ કરાવી. રસોઈ બહાર મંગાવી લાડુ-શાકને ચોળી તેના ગોળા બનાવ્યા. સૌ સંતોને એક એક લાડુ હાથમાં પીરસ્યો. મહારાજે ગંગામાનો સંકલ્પ પૂરો કર્યો. શ્રીહરિની આ લીલા ગંગામાને ગદ્ગદિત કરી ગઈ.

આહાહા... પ્રેમીજનને વશ ઘનશ્યામજી ! શ્રીહરિની અન્યની લાગણી-પ્રેમ સમજવા-સમજાવવાની રીત સૌને પ્રેરણા આપી ગઈ.