ગુરુદેવ પ.પૂ.બાપજી ૨૦૧૭ના ફેબ્રુઆરી માસમાં ભાવનગર પધાર્યા હતા. મંદિરનું કામકાજ ચાલુ હતું. ટૂંક સમયમાં મૂર્તિપ્રતિષ્ઠા આવી રહી હતી. ગુરુદેવ પ.પૂ. બાપજી કથાવાર્તાનો લાભ આપી સૌને સુખિયા કરી રહ્યા હતા.

ગુરુદેવ પ.પૂ.બાપજીએ પૂ.સંતોને વાત કરતાં કહ્યું,“આ ભાવનગરનું મંદિર થઈ જાય એટલે મહિનામાં બે વખત અહીંયાં લાભ આપવા આવવું છે. બધાયને મહારાજની ઓળખાણ થાય.” અવરભાવનું સ્વાસ્થ્ય સારું ન હોવા છતાં પણ મહિનામાં બેબે કલાકની કથા માટે મુસાફરી કરી ભીડો વેઠી મહારાજને ઓળખાવવાનો કેટલો આગ્રહ!.