સ્વામિનારાયણ ધામ ખાતે વ્હાલા પ.પૂ.સ્વામીશ્રી પ્રાત:સભા બાદ પ્રાર્થના મંદિરથી સંત આશ્રમમાં પધાર્યા.

ત્યારે એક સાધકમુક્ત ચરણરજની સેવા કરતા હતા.

"લાવો...” એમ કહી સાધકમુક્તના હાથમાંથી સાવરણી લઈને પ.પૂ. સ્વામીશ્રી ચરણરજની સેવા કરવા લાગ્યા.

"દયાળુ, લાવો આપે સેવા ના કરવાની હોય... એ સેવા તો અમે સેવકો કરી દઈશું... દયાળુ, આપો...” એમ સાધકમુક્તે પ્રાર્થના કરતાં પ.પૂ.સ્વામીશ્રીને કહ્યું.

" આ બધા મહારાજના મુક્તોની ચરણરજની સેવા અમને હોય ક્યાંથી !

માટે દયાળુ , સેવકને આ સેવા કરવા દો...”