સદ્. શ્રી ગોપાળાનંદ સ્વામી
Jivan Darshan Sarvotkrustata Divya Prasad
Video Darshan Prakashan
- પ્રાગટ્ય: સંવત ૧૮૩૭, મહા સુદ આઠમ
- પ્રાગટ્ય સ્થળ: ગામ – ટોરડા, તાલુકો - ભિલોડા, જિલ્લો - સાબરકાંઠા, રાજ્ય - ગુજરાત, ભારત
- પૂર્વાશ્રમનું નામ: ખુશાલ ભટ્ટ
- માતાનું નામ: જીવીબા
- પિતાનું નામ: મોતીરામ ભટ્ટ
- ગુરુનું નામ: ભગવાન શ્રી સ્વામિનારાયણ
- સંત દીક્ષા: સંવત ૧૮૬૪, કારતક વદ આઠમને દિવસે ગઢપુરમાં દાદાખાચરના દરબારમાં અક્ષરઓરડીએ સ્વયં ભગવાન સ્વામિનારાયણેસંત દીક્ષા આપી હતી.
- પ્રસિદ્ધિ: ખૂણિયા જ્ઞાનવાળા, યોગમૂર્તિ સ્વામિનારાયણ સંપ્રદાયના આધ્યાત્મિક વડા
- અધ્યક્ષ: અમદાવાદ અને વડતાલ બંને દેશના આચાર્યોના ઉપરી કરી સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયનાઉત્તરાધિકારીઅધ્યક્ષસ્થાને ભગવાન સ્વામિનારાયણે તેઓની નિમણૂક કરી.
- કરેલાં મહત્ત્વનાં કાર્યો:
- ૧. ભગવાન સ્વામિનારાયણની સર્વોપરી ઉપાસનાના પ્રવર્તનનું સૌપ્રથમ બીડું તેઓએ ઝડપ્યું હતું. તેઓ ખૂણામાં બેસાડી બેસાડી ઉપાસના સમજાવતા હતા. તેથી તેઓ ખૂણિયા જ્ઞાનવાળા કહેવાયા.
- ૨. ભગવાન સ્વામિનારાયણેપ્રસ્થાપિત કરેલ સંપ્રદાયની આત્યંતિક મોક્ષકારી ધુરા શ્રીહરિના અંતર્ધાનગમન બાદ તેમણે સંભાળી સંપ્રદાયને વિસ્તાર્યો હતો.
- ૩. તેઓએ ભગવાન સ્વામિનારાયણના સર્વોપરી જ્ઞાન અને સિધ્ધાંતને ઉજાગર કરતાં શાસ્ત્રોની રચના કરી તથા શ્રીમુખવાણી વચનામૃત ગ્રંથ – રચનાની સેવા કરી.
- ૪. તેઓએ સ્વામિનારાયણ સંપ્રદાયનું બંધારણ તથા પ્રણાલિકાઓ તૈયારી કરી સમગ્ર સંતો-હરિભક્તો સર્વના ધર્મ-નિયમ અને વર્તનમાં એકસૂત્રતા કરાવી.
- ૫. તેઓએ અદ્ભુત ગ્રંથ ‘ગોપાળાનંદ સ્વામીની વાતો’ આપ્યો હતો.
- વિશિષ્ટતા:
- ૧. ભગવાન સ્વામિનારાયણના પ્રતાપે તેઓમાં અદ્ભુત સામર્થી હતી. તેઓના સંકલ્પથી બ્રહ્માંડોનો પ્રલય થઈ જતો. સૂર્ય અને ચન્દ્રની ગતિ અટકી જતી.<
- ૨. ૩,૦૦૦ નંદસંતોમાં ભગવાન સ્વામિનારાયણે તેઓના દ્વારા સૌથી વધુ સામર્થી જણાવી હતી.<
- ૩. તેઓ ભગવાન સ્વામિનારાયણના સૌથી વ્હાલા અને અતિ નિકટના સંત હતા.<
- ૪. તેઓના સંકલ્પમાત્રથી અનેક પામર-પતિત જીવો પણ અક્ષરધામને કહેતાં મૂર્તિના સુખને પામ્યા હતા.<
- અનુગામી: અ.મુ. સદ્. શ્રી નિર્ગુણદાસજી સ્વામી
- અંતર્ધાન: સંવત ૧૯૦૮, વૈશાખ સુદ પાંચમ
- અંતર્ધાન સ્થળ: ગામ - વડતાલ, તાલુકો - નડિયાદ, જિલ્લો - ખેડા, રાજ્ય - ગુજરાત, ભારત
- આલોકમાં દર્શન: ૭૧ વર્ષ, ૨ માસ, ૨૭ દિવસ (સંવત ૧૮૩૭, મહા સુદ આઠમથી સંવત ૧૯૦૮, વૈશાખ સુદ પાંચમ)