ભગવાન શ્રી સ્વામિનારાયણ
Pragatya Hetu Ghanshyam Darshan Nilkanth charitra
Sahajanand charitra lila charitra
- પ્રાગટ્ય: સંવત ૧૮૩૭, ચૈત્ર સુદ નોમ, સોમવાર (તા. ૦૩/૦૪/૧૭૮૧)
- પ્રાગટ્ય સ્થળ: ગામ – છપૈયા, તાલુકો - મનકાપુર, જિલ્લો - ગોંડા, રાજ્ય - ઉત્તરપ્રદેશ, ભારત
- પ્રચલિત નામ: હરિ, કૃષ્ણ, હરિકૃષ્ણ, નીલકંઠ, ઘનશ્યામ, સહજાનંદ સ્વામી, નારાયણમુનિ, શ્રીજીમહારાજ, સ્વામિનારાયણ.
- માતાનું નામ: ભક્તિમાતા
- પિતાનું નામ: ધર્મપિતા
- ભાઈનું નામ: રામપ્રતાપભાઈ, ઇચ્છારામભાઈ
- બાલ્યકાળ: સંવત ૧૮૩૭થી સંવત ૧૮૪૯ – ૧૧ વર્ષ
- વનવિચરણ: સંવત ૧૮૪૯થી સંવત ૧૮૫૬ – ૭ વર્ષ
- સત્સંગ વિચરણ: સંવત ૧૮૫૬થી સંવત ૧૮૮૬ – ૩૧ વર્ષ
- સ્વામિનારાયણ મહામંત્રનું પ્રાગટ્ય: સંવત ૧૮૫૮, માગશર વદ એકાદશી
- આશ્રિતગણ: ૨૦ લાખ હરિભક્તો અને ૩,૦૦૦ સંતો
- મંદિર રચના: પોતાની હયાતીમાં મોટાં મોટાં છ શિખરબદ્ધ મંદિરોની રચના કરી : અમદાવાદ, ભુજ, ધોલેરા, જૂનાગઢ, વડતાલ, ગઢડા
- કરેલાં મહત્ત્વનાં કાર્યો:
- ૧. સર્વે સંપ્રદાયોમાં શ્રેષ્ઠ સ્વામિનારાયણ સંપ્રદાયની સ્થાપના કરી.
- ૨. તેઓએ સ્વામિનારાયણ સંપ્રદાયના બંધારણરૂપ ‘શિક્ષાપત્રી’ ગ્રંથ અને સૈદ્ધાંતિક ગ્રંથ ‘વચનામૃત’ની ભેટ આપી તથા સંતો-હરિભક્તોનાં પંચવર્તમાન આપ્યા.
- ૩. તેઓએ આત્મા-પરમાત્માનું શુધ્ધ અને સર્વોપરી જ્ઞાન આપી પોતાની સનાતન સર્વોપરી ઉપાસના પ્રવર્તાવી.
- ૪. તેઓએ પોતાનો સનાતન અને વિશિષ્ટ એવો ‘વિશિષ્ટાદ્વૈત’ સિધ્ધાંત આપ્યો.
- ૫. તેઓએ વર્તનશીલ અને ધર્મ-નિયમયુક્ત સંતોની રચના કરી, સંત-અસંતની ઓળખ કરાવી.
- ૬. પોતાના દિવ્ય સત્પુરુષો દ્વારા પરંપરાગત આત્યંતિક કલ્યાણનો રાજમાર્ગ ચાલુ રાખ્યો.
- ૭. તેઓએ સમાજમાં મહિલા વર્ગને એક અલગ અને આગવું સર્વોચ્ચ સ્થાન આપ્યું.
- ૮. તેઓએ સમાજના દૂષણરૂપ કેટલાક કુરિવાજો જેવા કે દૂધપીતી, સતીપ્રથા આદિ દૂર કર્યા.
- ૯. પોતાના અધૂરા સંકલ્પોને પૂર્ણ કરવા પોતાના મુક્ત ‘શ્રીજીસંકલ્પમૂર્તિ જીવનપ્રાણ અબજીબાપાશ્રી’ સ્વરૂપે પ્રગટ થવાના આશીર્વાદ તથા મુક્ત સ્વરૂપે પ્રગટ થઈ પોતાની સર્વોપરી ઉપાસના અને અનાદિમુક્તની સ્થિતિનું જ્ઞાન આપ્યું.
- અનુગામી: અ. મુ. સદ્ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી
- અંતર્ધાન: સંવત ૧૮૮૬, જેઠ સુદ દસમ (તા.૧ જૂન, ૧૮૩૦)
- અંતર્ધાન સ્થળ: ગામ - ગઢડા, તા. જિ. - બોટાદ, રાજ્ય - ગુજરાત, ભારત
- આલોકમાં દર્શન: ૪૯ વર્ષ, ૧૧ માસ, ૧ દિવસ (સંવત ૧૮૩૭, ચૈત્ર સુદ નોમથી સંવત ૧૮૮૬, જેઠ સુદ દસમ)