સદ્. શ્રી કેશવપ્રિયદાસજી સ્વામી
Jivan Darshan Sarvotkrustata Divya Prasad
Video Darshan Prakashan
- પ્રાગટ્ય: સંવત ૧૯૩૬
- પ્રાગટ્ય સ્થળ: ચાણપર, તાલુકો : મૂળી, જિલ્લો-સુરેન્દ્રનગર, રાજ્ય – ગુજરાત, ભારત
- પૂર્વાશ્રમનું નામ: હીરાભાઈ
- માતાનું નામ: હરિબા
- પિતાનું નામ: માંડણભાઈ
- ભાઈનું નામ: પ્રાગજીભાઈ, જેઠાભાઈ, પીતાંબરભાઈ
- ગુરુનું નામ: દીક્ષાગુરુ - મુરલીમનોહરદાસજી સ્વામી, જ્ઞાનગુરુ - સદ્. જીવનપ્રાણ અબજીબાપાશ્રી
- સંત દીક્ષા: સંવત ૧૯૫૧ ચૈત્ર સુદ નોમના દિવસે તેઓને સંત દીક્ષા આપવામાં આવી હતી.
- પ્રસિદ્ધિ: મુનિસ્વામી, પુરાણી
- મંદિરમાં સેવા: (૧) સ્વામિનારાણ મંદિર, ભુજ, (૨) સ્વામિનારાયણ મંદિર, પાટડી.
- કરેલાં મહત્ત્વનાં કાર્યો:
- ૧. તેઓ અબજીબાપાશ્રીના અત્યંત કૃપાપાત્ર અને રાજીપાના પાત્ર બન્યા હતા.
- ૨. તેઓએ ‘શિક્ષાપત્રી રહસ્યાર્થ’, ‘પુરુષોત્તમ લીલામૃત સુખસાગર’, ‘અબજીબાપશ્રી જીવનવૃત્તાંત’ આદિ ગ્રંથો તૈયાર કરવાની સેવાનો લાભ લીધો હતો.
- ૩. તેઓએ અબજીબાપાશ્રીએ સમજાવેલા શ્રીજીસંમત સિદ્ધાંતોને છડેચોક પ્રવર્તાવ્યા અને અબજીબાપાશ્રીનો મહિમા અનંતને સમજાવ્યો.
- ૪. તેઓએ કારણ સત્સંગનાં સિદ્ધાંતોને ઉજાગર કરનાર દિવ્ય સત્પુરુષ પ.પૂ. અ.મુ. સત્યસંકલ્પદાસજી સ્વામીશ્રી (પ.પૂ. સ્વામીશ્રી)ના પ્રાગટ્યના આશીર્વાદ આપ્યા.
- ૫. તેઓની ધ્યાનસ્થ અવસ્થા અદ્ભુત હતી. તેથી તેઓશ્રી ‘મુનિસ્વામી’ના નામથી પ્રસિદ્ધિ થયા હતા.
- અનુગામી: પ.પૂ. અ.મુ. સદ્. શ્રી દેવનંદનદાસજી સ્વામી (વ્હાલા ગુરુવર્ય પ.પૂ. બાપજી)
- અંતર્ધાન: સંવત ૨૦૩૦, વૈશાખ વદ બીજ
- અંતર્ધાન સ્થળ: ગામ – બળદિયા (વૃષપુર), તાલુકો – ભુજ, જિલ્લો – કચ્છ, રાજ્ય – ગુજરાત, ભારત
- આલોકમાં દર્શન: ૯૫ વર્ષ (સંવત ૧૯૩૬થી સંવત ૨૦૩૦)