સદ્દ. શ્રી ઈશ્વરચરણદાસજી સ્વામી
Jivan Darshan Sarvotkrustata Divya Prasad
Video Darshan Prakashan
- પ્રાગટ્ય: સંવત ૧૯૧૮, ચૈત્ર સુદ બીજ
- પ્રાગટ્ય સ્થળ: ગામ - અસલાલી, તાલુકો - દસ્ક્રોઈ, જિલ્લો - અમદાવાદ, રાજ્ય - ગુજરાત, ભારત
- પૂર્વાશ્રમનું નામ: બહેચરભાઈ
- માતાનું નામ: જીબાબા
- પિતાનું નામ: અમથાભાઈ
- ભાઈનું નામ: કસીભાઈ
- ગુરુનું નામ: અ.મુ. સદ્. શ્રી નિર્ગુણદાસજી સ્વામી
- સંત દીક્ષા: સંવત ૧૯૪૨ના કારતક માસમાં અમદાવાદ મુકામે તેઓને સંત દીક્ષા આપવામાં આવી હતી.
- પ્રસિદ્ધિ: પંજાબમેલ, નીડર સિદ્ધાંતવાદી, સદ્ગુરુબાપા, સદ્ગુરુશ્રી, ઈશ્વરમૂર્તિ
- મહંતાઈ: સ્વામિનારાયણ મંદિર, જેતલપુર
- કરેલાં મહત્ત્વનાં કાર્યો:
- ૧. અબજીબાપાશ્રીએ શ્રીમુખવાણી વચનામૃતનાં રહસ્યમય ગૂઢાર્થ જ્ઞાનને યથાર્થ સમજાવ્યું. તેને સદ્. ઈશ્વરબાપાએ ૧૮-૧૮વર્ષ દાખડા કરી ગ્રંથસ્થ કર્યું અને ‘રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા સહ વચનામૃત’ તથા ‘અબજીબાપાશ્રીની વાતો’ એવા બે અમૂલ્ય ગ્રંથોની ભેટ આપી.
- ૨. તેઓએ જીવનપ્રાણ અબજીબાપાશ્રીએ સમજાવેલા શ્રીજીસંમત સિદ્ધાંતોને છડેચોક પ્રવર્તાવ્યા.
- ૩. તેઓએ જીવનપ્રાણ અબજીબાપાશ્રીનો મહિમા અનંતને સમજાવ્યો.
- ૪. તેઓએ સંપ્રદાયનાં વ્યવહારિક શુદ્ધિકરણ માટે સત્સંગ મહાસભાનું સુકાન સંભાળ્યું.
- ૫. તેઓએ ‘અબજીબાપાશ્રી જીવનચરિત્ર’ ગ્રંથ પ્રકાશિત કરાવ્યો હતો.
- ૬. તેઓએ સદ્. મુક્તાનંદ સ્વામી રચિત ‘શ્રી બ્રહ્મસૂત્રભાષ્યરત્ન’ આ ગ્રંથ સૌપ્રથમ સંપ્રદાયમાં પ્રકાશિત કર્યો હતો.
- ૭. તેઓએ શ્રીજીમહારાજને જ સર્વેના આચાર્ય સમજી તથા શ્રીજીમહારાજની મૂર્તિને પ્રગટ-પ્રત્યક્ષ જાણી તેમના દિવ્ય સાંનિધ્યમાં સાધુ-ગુરુ થકી સાધુની દીક્ષા ગ્રહણ કરવાની પ્રણાલિકા શરૂ કરાવી.
- વિશિષ્ટતા: તેઓ બાપાશ્રીના અત્યંત રાજીપાના પાત્ર બન્યા હતા. બાપાશ્રી તેઓનો મહિમા જણાવતા કે, “સદ્ગુરુ ઈશ્વરસ્વામી એટલે ઈશ્વર મૂર્તિ જ જોઈ લ્યો. આફ્રિકાનાં ગાઢ જંગલોમાં જઈ કોઈ એટલું બોલે ‘હે સદ્ગુરુ ઈશ્વરસ્વામી’ અને એ શબ્દની ભણક જેના કાને પડે તેનો પણ મોક્ષ થઈ જાય.”
- શિષ્ય પરંપરા: સદ્. ઈશ્વરબાપાના શિષ્ય સદ્. હરિકૃષ્ણદાસજી સ્વામીને દીક્ષા ગુરુ સ્થાને સ્વીકારી સદ્. ઈશ્વરબાપાની વર્તમાન શિષ્ય પરંપરામાં ગુરુવર્ય પ.પૂ. બાપજી કારણ સત્સંગનું સુકાન સંભાળી રહ્યા છે.
- અંતર્ધાન: સંવત ૧૯૯૮, આસો વદ અમાસ, રવિવાર (તા. ૮-૧૧-૧૯૪૨)
- અંતર્ધાન સ્થળ: સરસપુર, અમદાવાદ, તા. જિ. - અમદાવાદ, રાજ્ય - ગુજરાત, ભારત
- આલોકમાં દર્શન: ૮૦ વર્ષ, ૬ માસ, ૨૮ દિવસ (સંવત ૧૯૧૮, ચૈત્ર સુદ બીજ થી સંવત ૧૯૯૮, આસો વદ અમાસ)