સદ્. શ્રી નિર્ગુણદાસજી સ્વામી
Jivan Darshan Sarvotkrustata Divya Prasad
Video Darshan Prakashan
- પ્રાગટ્ય: સંવત ૧૮૮૦, ચૈત્ર સુદ નોમ
- પ્રાગટ્ય સ્થળ: ગામ - ચુડા, તાલુકો - ચુડા, જિલ્લો - સુરેન્દ્રનગર, રાજ્ય - ગુજરાત, ભારત
- પૂર્વાશ્રમનું નામ: નાનજીભાઈ જાની
- માતાનું નામ: અમૃતબા
- પિતાનું નામ: કાળીદાસભાઈ જાની
- ભાઈનું નામ: હરિશંકરભાઈ, પોપટભાઈ, હરજીવનભાઈ
- ગુરુનું નામ: અ.મુ. સદ્. શ્રી ગોપાળાનંદ સ્વામી
- સંત દીક્ષા: સંવત ૧૮૯૬માં, વડતાલ મુકામે તેઓને સંત દીક્ષા આપવામાં આવી હતી.
- પ્રસિદ્ધિ: સ્વામીશ્રી, બાપજી
- કરેલાં મહત્ત્વનાં કાર્યો:
- ૧. તેઓએ ભગવાન સ્વામિનારાયણની સર્વોપરી ઉપાસનાનું છડેચોક પ્રવર્તન કર્યું. એ માટે અનેક વિટંબણાઓ, કષ્ટો, તિરસ્કારો સહન કર્યા.
- ૨. તેઓએ જીવનપ્રાણ અબજીબાપાશ્રીની ઓળખાણ કરાવી તથા તેઓનો મહિમા સમજવાની રીત જણાવી અને અનંતને બાપાશ્રીનો મહિમા સમજાવ્યો.
- ૩. તેઓએ ‘સદ્દગુરુશ્રી નિર્ગુણદાસજી સ્વામીની વાતો’રૂપી શ્રીજીમહારાજના જ સર્વોપરી ચરિત્રોનો સુંદર ગ્રંથ આપ્યો.
- અનુગામી: અ.મુ. સદ્. શ્રી ઈશ્વરચરણદાસજી સ્વામી
- અંતર્ધાન: સંવત ૧૯૪૮, આસો સુદ એકમ
- અંતર્ધાન સ્થળ: કાલુપુર - અમદાવાદ, તા.જિ. - અમદાવાદ, રાજ્ય - ગુજરાત, ભારત
- આલોકમાં દર્શન: ૬૮ વર્ષ, ૫ માસ, ૨૩ દિવસ (સંવત ૧૮૮૦, ચૈત્ર સુદ નોમથી સંવત ૧૯૪૮, આસો સુદ એકમ)