સદ્. શ્રી ગોપાળાનંદ સ્વામી

Jivan Darshan Sarvotkrustata Divya Prasad

Video Darshan Prakashan

 

  • પ્રાગટ્ય: સંવત ૧૮૩૭, મહા સુદ આઠમ
  • પ્રાગટ્ય સ્થળ: ગામ – ટોરડા, તાલુકો - ભિલોડા, જિલ્લો - સાબરકાંઠા, રાજ્ય - ગુજરાત, ભારત
  • પૂર્વાશ્રમનું નામ: ખુશાલ ભટ્ટ
  • માતાનું નામ: જીવીબા
  • પિતાનું નામ: મોતીરામ ભટ્ટ
  • ગુરુનું નામ: ભગવાન શ્રી સ્વામિનારાયણ
  • સંત દીક્ષા: સંવત ૧૮૬૪, કારતક વદ આઠમને દિવસે ગઢપુરમાં દાદાખાચરના દરબારમાં અક્ષરઓરડીએ સ્વયં ભગવાન સ્વામિનારાયણેસંત દીક્ષા આપી હતી.
  • પ્રસિદ્ધિ: ખૂણિયા જ્ઞાનવાળા, યોગમૂર્તિ સ્વામિનારાયણ સંપ્રદાયના આધ્યાત્મિક વડા
  • અધ્યક્ષ: અમદાવાદ અને વડતાલ બંને દેશના આચાર્યોના ઉપરી કરી સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયનાઉત્તરાધિકારીઅધ્યક્ષસ્થાને ભગવાન સ્વામિનારાયણે તેઓની નિમણૂક કરી.
  • કરેલાં મહત્ત્વનાં કાર્યો:
    1. ૧. ભગવાન સ્વામિનારાયણની સર્વોપરી ઉપાસનાના પ્રવર્તનનું સૌપ્રથમ બીડું તેઓએ ઝડપ્યું હતું. તેઓ ખૂણામાં બેસાડી બેસાડી ઉપાસના સમજાવતા હતા. તેથી તેઓ ખૂણિયા જ્ઞાનવાળા કહેવાયા.
    2. ૨. ભગવાન સ્વામિનારાયણેપ્રસ્થાપિત કરેલ સંપ્રદાયની આત્યંતિક મોક્ષકારી ધુરા શ્રીહરિના અંતર્ધાનગમન બાદ તેમણે સંભાળી સંપ્રદાયને વિસ્તાર્યો હતો.
    3. ૩. તેઓએ ભગવાન સ્વામિનારાયણના સર્વોપરી જ્ઞાન અને સિધ્ધાંતને ઉજાગર કરતાં શાસ્ત્રોની રચના કરી તથા શ્રીમુખવાણી વચનામૃત ગ્રંથ – રચનાની સેવા કરી.
    4. ૪. તેઓએ સ્વામિનારાયણ સંપ્રદાયનું બંધારણ તથા પ્રણાલિકાઓ તૈયારી કરી સમગ્ર સંતો-હરિભક્તો સર્વના ધર્મ-નિયમ અને વર્તનમાં એકસૂત્રતા કરાવી.
    5. ૫. તેઓએ અદ્ભુત ગ્રંથ ‘ગોપાળાનંદ સ્વામીની વાતો’ આપ્યો હતો.
  • વિશિષ્ટતા:
    1. ૧. ભગવાન સ્વામિનારાયણના પ્રતાપે તેઓમાં અદ્ભુત સામર્થી હતી. તેઓના સંકલ્પથી બ્રહ્માંડોનો પ્રલય થઈ જતો. સૂર્ય અને ચન્દ્રની ગતિ અટકી જતી.<
    2. ૨. ૩,૦૦૦ નંદસંતોમાં ભગવાન સ્વામિનારાયણે તેઓના દ્વારા સૌથી વધુ સામર્થી જણાવી હતી.<
    3. ૩. તેઓ ભગવાન સ્વામિનારાયણના સૌથી વ્હાલા અને અતિ નિકટના સંત હતા.<
    4. ૪. તેઓના સંકલ્પમાત્રથી અનેક પામર-પતિત જીવો પણ અક્ષરધામને કહેતાં મૂર્તિના સુખને પામ્યા હતા.<
  • અનુગામી: અ.મુ. સદ્. શ્રી નિર્ગુણદાસજી સ્વામી
  • અંતર્ધાન: સંવત ૧૯૦૮, વૈશાખ સુદ પાંચમ
  • અંતર્ધાન સ્થળ: ગામ - વડતાલ, તાલુકો - નડિયાદ, જિલ્લો - ખેડા, રાજ્ય - ગુજરાત, ભારત
  • આલોકમાં દર્શન: ૭૧ વર્ષ, ૨ માસ, ૨૭ દિવસ (સંવત ૧૮૩૭, મહા સુદ આઠમથી સંવત ૧૯૦૮, વૈશાખ સુદ પાંચમ)