નૉર્થ અમેરિકા 2017ના વિચરણ દરમ્યાન પ.પૂ.સ્વામીશ્રીએ ક્યારેય શ્રી હરિકૃષ્ણ મહારાજની ગૌણતા ને નિજની પ્રધાનતા થવા દીધી નથી.

 સમયે સમયે શ્રી હરિકૃષ્ણ મહારાજની સેવા ખૂબ કરી છે.

એમને જમાડવા-પોઢાડવા ને જગાડવાની સેવામાં પ.પૂ.સ્વામીશ્રીએ મહારાજની મુખ્યતા જ વધારી છે.

એક વાર એક સંતે પ.પૂ. સ્વામીશ્રીને જળ ધરાવવાની વ્યવસ્થા અંગે અન્ય સંતોને જાણ કરી.

આ વાત પ.પૂ.સ્વામીશ્રી સાંભળી જતા બોલ્યા,“સ્વામી,તમે શ્રી હરિકૃષ્ણ મહારાજને કેમ ભૂલી ગયા ! મહારાજને પણ તરસ લાગી છે.પહેલાં આપ હરિકૃષ્ણ મહારાજની જળ ધરાવવાની વ્યવસ્થા કરાવો; અમારી નહિ કરાવો તો ચાલશે.”

આમ,વિદેશ વિચરણમાં પણ પ.પૂ.સ્વામીશ્રીએ હરિકૃષ્ણ મહારાજને કાયમી મુખ્ય રાખ્યા હતા.

સૌ સંતો-ભક્તો પ.પૂ.સ્વામીશ્રીના અવરભાવના જતનની ચિંતા રાખે-રખાવે જ્યારે પ.પૂ.સ્વામીશ્રી સદાય હરિકૃષ્ણ મહારાજની પ્રધાનતા રાખતા ને રખાવતા.